Facebook Badge

शनिवार, 26 नवंबर 2011

સમાજ નો ચિતાર

રોજ  કઈક ને કઈક  નવું ................
                      સવાર ના સૂર્ય નારાયણ ના સોનેરી કિરણો ધરતી પર પ્રકાશ પહોચાડે તે 
પહેલા તો .....વર્તમાનપત્ર કઈક નવુજ  જેની આપને કલ્પના પણ ના કરી શકીએ ...અંધકાર   તરફ ધકેલાતા સમાજ નો ચિતાર આપની સમક્ષ રજુ કરી દેછે .

           રોજ નવી જ સમસ્યા ઓ ..અકલ્પિત  ગુના ઓ ..વિચારી પણ ના સકાય તેવા અધમ કૃત્યો ...
મન ને વ્યાકુળ બનાવી દે છે ...ખરુંને ...ખરેખર ...

         મનુષ્ય જીવન ને કેટલી નીચી કક્ષા એ લઇ જઇ રહ્યો છે ...પશુ   કરતા  પણ   અનૈતિક કૃત્યો આચરી  મનુષ્ય નામ પર કલંક લગાવી રહ્યા છે ...ત્યારે શું મનુષ્ય ને અત્યાર સુધી આપણે કુદરત ની અપ્રિતમ કારીગરી માનતા હતા તે આપણો ભ્રમ ભાંગવાને આરે છે ..

          કેટલીક હમણા ની વર્તમાન પત્રો માં વાચેલી ઘટના ઓ જોઈ હ્રિદય દ્રવી ઉઠે છે ..આત્મા ચિત્કાર કરી ઉઠે છે ..કાયમી શાંત રહેતું આ મન પણ ક્રોધ્ગની  ની જ્વાલા ઓ માં ખલબલી ઉઠે છે ...ખરે ખર વ્યાકુળતા ની હદ કહી સકાય તેવુજ કંઈક .........
    
  કેટલીક ....ઘટનાઓ જે હમણા હમણાં થી વાચી છે ,,,તે જુઓ તો તમે પણ મારા મંતવ્ય સાથે જર્રૂર ......સંમત  થશો ....

 

   *ગાંધીધામમાં બાળકીને પીંખીને હત્યા કરનારો નરાધમ પકડાયો

 *દાદીમા પાસે સૂતેલી ફૂલ જેવી બાળકી પર બળાત્કાર

             રોજ માસુમ કુમળા બાળકો પર ના આવા અત્યાચાર ના સમાચાર ......મનુષ્ય પોતાના હવસ ની આગ માં કેટલો અંધ બની જાય છે ....કાયદા જ એટલા નબળા છે કે.............?
 
              આ તો માત્ર થોડા અંશ જ છે ...પરંતુ ...આથી પણ વધારે હીન કક્ષા ની ઘટના ઓ અત્યારે રોજ જોવામાં આવે છે ...
              શું થઇ રહ્યું છે ..? આનો અંત ક્યારે આવશે ....શું આપના માંથી કોઈ પણ કહી શકશે ...?શું  છે આવી બધી ઘટના ઓ બનવાનું કારણ ..............................................................
                  મારા મત મુજબ તેનું કારણ છે ....સમાજ નું નૈતિક અધ:પતન .........તો શું ..આમતે આપણે 
કઈ કરી શકીએ  ....કેમ નહિ ...?
     જયારે પણ આવી કોઈ પણ ઘટના બને ત્યારે આપણે શું કરીએ છીએ ,,,બે ચાર  આ  વિષય પર ચર્ચા    કરીએ છીએ  પછી ભૂલી જઈએ છીએ ....
  તો શું આવા બનાવો અટકાવવા માટે સરકાર કશું કરી શકે ......?
    તો જવાબ આપી સકાય .......હા ......ઘણું બધું કરી શકે .....
              જો આવા હીન કૃત્ય માટે જાહેર માં આપી સકાય એવી કઠોર સજા ની જોગવાઈ ..માટે નો કાયદો બનાવવા માં આવે અને એનો એટલાજ કડક રીતે અમલ કરાય તો જરૂર થી આવા બનાવો માં ઘટાડો થાય ....પરંતુ સરકાર ક્યારે આવું કરે ....
           જયારે આમુદ્દા ને જાહેર ચર્ચા નો વિષય બનાવી જયારે પણ આવી ઘટના બને ત્યારે મોટું જન આંદોલન થાય  તો જ  ..........
                  પરંતુ આપણે તો વાર્તા લપ અને ચર્ચા કરવા શિવાય ...બીજું કશું કરવા માટે ક્યાં સમય આપી શકીએ છીએ .............................................


कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें